Sharad Purnima: Know the religious, spiritual and medicinal significance in India

Sharad Purnima: Know the religious, spiritual and medicinal significance in India

Gujrat
0

 Sharad Purnima: Know the religious, spiritual and medicinal significance in India

  • વિક્રમ સંવત નાં આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે.

વિક્રમ સંવત નાં આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલેલ હોય છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે. આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે. જેમાં ચોખાના પૌવા, સાકરને દૂધ સાથે આરોગવાનો રીવાજ છે. તેમ જ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે.

Gujarati Garba Navratri 2023-2024: Sharad Purnima

CLIK HERE

LIVE GARBA 2023 :Sharad Purnima

CLIK HERE

MATAJI STUTI ,AARTI LIVE 

CLIK HERE



સામાન્ય રીતે વર્ષમાં ૧૨ પુનમ આવે છે પરંતુ આસો માસની પુનમ એટલે કે શરદ પુનમ નું મહત્વ વધુ હોય છે. તેને શરદ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ વર્ષે આ વખતે શરદ પૂર્ણિમા 30 મી ઓક્તોના રોજ છે. શરદ પૂર્ણિમાથી પાનખર આવે છે.શરદ પૂર્ણિમા પર ચંદ્રનો પ્રકાશ રાત્રે ચારેય દિશાને અજવાળી કરે છે.



શરદ પૂર્ણિમા શું મહત્વ છે: 

  1. પૂર્ણ ચંદ્રની તારીખે, ચંદ્ર તેની સોળ કળાથી ખીલેલો લાગે છે. એક પૌરાણિક માન્યતા છે કે આ દિવસે, ચંદ્રની કિરણોમાંથી અમૃત ટપકે છે. પૂર્ણ ચંદ્રની રાત્રે ચંદ્રનાં કિરણો ગમે તે દિશામાં પડે છે, તેમાં અમૃત ભળી જાય છે.
  2. તેથી શરદ પૂર્ણિમાની રાતે ખીર બનાવવામાં આવે છે અને ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે. ખીરને આખી રાત ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે અને સવારે આ ખીરને પ્રસાદ તરીકે લેવામાં આવે છે. ચંદ્રના પ્રકાશમાં રાખેલી ખીર ખાવાથી શરીરના રોગો દૂર થાય છે.

શરદ પૂર્ણિમાની રાત્રે લક્ષ્મી પૂજન મહત્વ

  • શરદ પૂર્ણિમાની રાત્રે લક્ષ્મી પૂજન પણ ખૂબ મહત્વનું માનવામાં આવે છે. માતા લક્ષ્મી આ દિવસે આવે છે. શરદ પૂર્ણિમા પર લક્ષ્મ પૂજન કરવામાં તેણીને પ્રસન્ન થાય છે.

લક્ષ્મી માતાના કોજાગર વ્રતનું વિશેષ મહત્ત્વ છે. શરદપૂર્ણિમાની રાત્રે લક્ષ્મીજીની મૂર્તિની સ્થાપના કરીને તેમની વિધિવત્ પૂજા કરવી જોઈએ. ત્યારબાદ સંધ્યાકાળે ચંદ્રોદય થાય ત્યારે ઘીના સો દીવા પ્રગટાવવા. આ દિવસે મધ્યરાત્રિએ માતા મહાલક્ષ્મી પોતાનાં કરકમળો દ્વારા આશીર્વાદ વરસાવતાં પૃથ્વી પર વિચરણ કરે છે અને જાગરણ કરનારને ધન-સમૃદ્ધિ આપે છે. કોજાગરી વ્રત લક્ષ્મીજીને પ્રસન્ન અને સંતુષ્ટ કરનારું વ્રત છે. શરદપૂર્ણિમા શ્રીયંત્ર અને કુબેર યંત્રને સિદ્ધ કરવાનો તથા એક રાત્રિની પૂજામાં મહાલક્ષ્મીજી અને કુબેરને પ્રસન્ન કરવાની સોનેરી તક છે. ભગવાન વિષ્ણુની પૂજાનું સવિશેષ મહત્ત્વ છે.

શરદ પૂર્ણિમાની રાત્રે દર્દીઓ માટે વરદાન છે

  • શરદ પૂર્ણિમાની રાતે લંકાધિપતિ રાવણ અરીસા દ્વારા તેની નાભિ પર કિરણો મેળવતા હતા. આ પ્રક્રિયાએ તેને પુનર્જીવિત શક્તિ પ્રદાન કરતી હતી.  ચાંદીની રાતે રાત્રે 10 થી મધરાત 12 દરમિયાન ઓછા કપડાંમાં ચાંદનીના પ્રકાશમાં ફરતી અથવા ચાલતી વ્યક્તિને ઉર્જા મળે છે. સોમચક્ર, નક્ષત્રીય ચક્ર, અને અશ્વિનનો ત્રિકોણ ને કારણે શરદ ઋતુ માં ઉર્જા સંગ્રહ થાય છે.

  • અભ્યાસ મુજબ દૂધમાં લેક્ટિક એસિડ અને અમૃત હોય છે. આ તત્વ ચંદ્ર કિરણો દ્વારા વધુ પ્રમાણ માં શક્તિનો સંગ્રહ કરે છે.  ચોખામાં રહેલા સ્ટાર્ચને લીધે આ પ્રક્રિયા સરળ બને છે. આ કારણોસર, ઋષિ મુનિઓએ શરદ પૂર્ણિમાની રાત્રે ખુલ્લા આકાશમાં ખીર રાખવાનો નિયમ બનાવ્યો હતો.  આ પરંપરા વિજ્ઞાન પર આધારિત છે.


સંશોધન મુજબ, ખીરને ચાંદીના વાસણમાં બનાવવી જોઈએ. ચાંદીમાં ઉચ્ચ પ્રતિકારક શક્તિ છે. જે વાયરસને દૂર રાખે છે. હળદરનો ઉપયોગ પ્રતિબંધિત છે. દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા 30 મિનિટ સુધી શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર કિરણોમાં બેસવું જોઈએ,. તેના માટે ઉત્તમ સમય છે રાત્રે 10 થી 12 સુધીનો સમય યોગ્ય છે.


ખીરનો ભોગ

  • શરદપૂર્ણિમાની રાત્રે ગાયના દૂધમાંથી બનેલી ખીર (દૂધ-પૌંઆ)ને ચંદ્રના પ્રકાશમાં રાખીને તેને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરવામાં આવે છે. શરદપૂર્ણિમાના ચંદ્રના પ્રકાશમાં અમૃતનો અંશ હોય છે, તેથી એવી માન્યતા છે કે ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવેલી ખીરમાં ચંદ્રમાનાં અમૃત બુંદો આવી જાય છે અને તેનું સેવન કરવાથી તમામ પ્રકારની બીમારીઓ દૂર થાય છે. આયુર્વેદના ગ્રંથોમાં પણ શરદપૂર્ણિમાના ચંદ્રપ્રકાશના ઔષધીય મહત્ત્વનું વર્ણન જોવા મળે છે.


શરદપૂર્ણિમાનું વૈજ્ઞાનિક મહત્ત્વ


  • શરદપૂર્ણિમાની રાત્રિનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે. આ સમય દરમિયાન વાતાવરણ અને ઋતુમાં ફેરફારની શરૂઆત થાય છે અને શિયાળાનું આગમન થાય છે. શરદપૂર્ણિમાની રાત્રે મોડા સુધી જાગીને ખીર કે દૂધ-પૌંઆનું સેવન કરવું તે એ વાતનું પ્રતીક છે કે શિયાળાની ઋતુમાં આપણે ગરમ પદાર્થોનું સેવન કરવું જોઈએ, કારણ કે તેનાથી જ આપણને જીવનદાયિની ઊર્જા મળે છે.


પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ લખેલ ગરબા 


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !