Mahavir Swami – Birth, Jubilee, Education, Family, Marriage, Preaching, History, Death//મહાવીર સ્વામી – જન્મ,જયંતિ, શિક્ષણ, પરિવાર, લગ્ન, ઉપદેશ, ઇતિહાસ, મૃત્યુ

Mahavir Swami – Birth, Jubilee, Education, Family, Marriage, Preaching, History, Death//મહાવીર સ્વામી – જન્મ,જયંતિ, શિક્ષણ, પરિવાર, લગ્ન, ઉપદેશ, ઇતિહાસ, મૃત્યુ

Gujrat
0

 Mahavir Swami – Birth, Jubilee, Education, Family, Marriage, Preaching, History, Death//મહાવીર સ્વામી – જન્મ,જયંતિ, શિક્ષણ, પરિવાર, લગ્ન, ઉપદેશ, ઇતિહાસ, મૃત્યુ

મહાવીર સ્વામી

મહાવીર સ્વામીજી જૈન ધર્મના 24મા તીર્થંકર છે. અને જૈન ધર્મના વાસ્તવીક સંસ્થાપક પણ માનવામાં આવે છે.જૈન સાહિત્ય અનુસાર, જૈન ધર્મ આર્યોના વૈદિક ધર્મ કરતાં જૂનો છે. જૈન ધર્મના વિદ્વાન ઋષિઓને ‘તીર્થકર’ કહેવામાં આવતા હતા. એવું માનવામાં આવે છે કે મહાવીર સ્વામી પહેલા 23 જૈન તીર્થંકરો થઇ ગયા. પ્રથમ તીર્થંકર ઋષભદેવ અને 23મા તીર્થંકર પાર્શ્વનાથ હતા. 30 વર્ષની વયે મહાવીર  સ્વામીને સંસારથી મોહભંગ થયો અને સંસારની કીર્તિનો ત્યાગ કરી સન્યાસ ધારણ કર્યો.તો ચાલો આજે આપણે આવા મહાપુરુષ મહાવીર સ્વામીના જીવન પરિચય- જન્મ,જયંતિ, શિક્ષણ, પરિવાર, લગ્ન, ઉપદેશ, ઇતિહાસ, મૃત્યુ વિશે વિગતવાર માહિતી મેળવીએ.

આ લેખ માં શું વાંચવા મળશે તે અનુક્રમણિકા જુવો 

  1. મહાવીર સ્વામીનો જીવન પરિચય
  2. ભગવાન મહાવીરનો જન્મ, કુટુંબ, પત્ની
  3. મહાવીર સ્વામીનો ગૃહત્યાગ
  4. જ્ઞાન પાપ્તિ
  5. જૈન ધર્મનો ફેલાવો
  6. જૈન ધર્મના સિદ્ધાંતો
  7. પ્રિસ્ક્રિપ્ટિવ થિયરી (કાયદાકીય સિદ્ધાંત)
  8. ત્રિરત્ન-
  9. અહિંસામાં શ્રદ્ધા
  10. કઠોર તપસ્યા 
  11. કર્મ સિદ્ધાંત
  12. મહિલા સ્વતંત્રતા પર ભાર 
  13. 18 પાપ
  14. પુનર્જન્મનો સિદ્ધાંત
  15. નૈતિકતા પર ભાર 
  16. મોક્ષ
  17. પાંચ મહાવ્રત –
  18. મહાવીર સ્વામીનું મૃત્યુ

મહાવીર સ્વામીનો જીવન પરિચય

પ્રચલિત નામ 

ભગવાન મહાવીર 

મુળ નામ

વર્ધમાન

જન્મ

ઈ.પૂ. ૫૯૯

જન્મ સ્થળ

બિહારના વૈશાલી જિલ્લામાં આવેલા કુંડલગ્રામમાં 

પિતાનું નામ

સિદ્ધાર્થ રાજા

માતાનું નામ

ત્રિશલા દેવી 

પત્નીનું નામ

યશોદા 

પુત્રીનું નામ

પ્રિયદર્શના

ઉંમર

૭૨ વર્ષ

ધર્મ

જૈન ધર્મ

મૃત્યુ

ઈ.પૂ. ૫૨૭ 

મૃત્યુ સ્થળ

પાવાપુરી, મગધ, નાલંદા જિલ્લો, બિહાર, ભારત

ભગવાન મહાવીરનો જન્મ, કુટુંબ, પત્ની

  • ભગવાન મહાવીરનો જન્મ લગભગ ઈ.પૂ. ૫૯૯માં ચૈત્ર સુદ ૧૩ના રોજ  બિહારના વૈશાલી જિલ્લા માં પટનાથી ૨૯ માઈલ દૂર આવેલા ‘બેસધા પટ્ટી’ નજીક આવેલા કુંડલગ્રામમાં થયો હતો. ભગવાન મહાવીરની માતા મહારાણી ત્રિશલા જે વૈશાલીના લિચ્છવી વંશના રાજા ચેતકની બહેન હતી.અને પિતા મહારાજ સિદ્ધાર્થ જે એક શ્રત્રિય વવંશના રાજા હતા.

  1. મહાવીર સ્વામીનું બાળપણનું નામ વર્ધમાન હતું, પરંતુ જૈન સાહિત્યમાં તેમને ‘મહાવીર’ અને ‘જીન’ નામથી પણ બોલાવવામાં આવે છે. જૈન ગ્રંથ ઉત્તરપુરાણમાં 
  2. મહાવીર સ્વામીના ૫ નામો – વીર, અતિવીર, મહાવીર અને સનમતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
  3. રાજકુળમાં જન્મ લેવાને કારણે વર્ધમાનનું પ્રારંભિક જીવન ખૂબ જ આનંદ અને ઉલ્લાસમાં પસાર થયું. જ્યારે તેઓ ઉંમરલાયક ત્યારે તેમના માતા-પિતાએ તેના લગ્ન એક સુંદર કન્યા યશોદા સાથે કરાવ્યા. થોડા સમય પછી, તેમના ઘરે એક બાળકીનો જન્મ થયો, જેનું નામ પ્રિયદર્શના અથવા અણ્જા હતું. યુવાનીમાં આ યુવતીના લગ્ન જમાલી નામના યુવક સાથે કરવામાં આવ્યા, જે પાછળથી મહાવીર સ્વામીના અનુયાયી બન્યા હતા.

મહાવીર સ્વામીનો ગૃહત્યાગ

  • મહાવીર સ્વામી 30 વર્ષની ઉંમર સુધી ગૃહસ્થ જીવન જીવતા રહ્યા. પરંતુ તે સાંસારિક જીવનમાંથી આંતરિક શાંતિ મેળવી શક્યા નહીં. જેના કારણે તેમના માતા-પિતાના અવસાન બાદ તેમણે મોટા ભાઈ નંદીવર્ધનની પરવાનગી લઈને 30 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું અને સાધુ બની ગયા. તેમણે 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. આ દરમિયાન તેમને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી હતી.
  • સ્વામી મહાવીરે એક દિગંબર સાધુ જીવન સ્વીકાર્યુ અને નિવસ્ર રહ્યા. જૈના ધર્મના શ્વેતાંબર સંપ્રદાયમાં સંતો સફેદ વસ્ત્રો પહેરે છે. તેમના મત પ્રમાણે, મહાવીર સ્વામી દીક્ષા લીધા પછી થોડોો સમય વસ્ત્રો ધારણ કર્યા બાકીનો તમામ સમય દિગંબર રહ્યા હતા. તેમણે દિગમ્બર અવસ્થામાં જ કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમના સમગ્ર સાધનાના સમયગાળા દરમિયાન મહાવીરે કઠોર તપસ્યા કરી અને મૌન રહ્યા. જ્યારે તેઓ ધ્યાન માટે અહીં-ત્યાં ભટકતો હતા ત્યારે લોકો તેને લાકડીઓથી મારતા હતા, પરંતુ તેમ છતાં તે સંપૂર્ણપણે મૌન અને શાંત રહ્યા હતા. તેમણે તેમના શરીર પરના ઘા રુઝાવવા માટે દવાનો ઉપયોગ પણ કર્યો ન હતો.

જ્ઞાન પાપ્તિ

આ રીતે, અપાર ધૈર્ય સાથે વર્ધમાન 12 વર્ષ, 5 મહિના અને 15 દિવસ સુધી તેમની તપસ્યામાં મગ્ન રહ્યા અને 13મા વર્ષ વૈશાખીના દસમા દિવસે તેમણે કૈવલ્ય એટલે કે જ્ઞાનની પ્રાપ્તિ કરી. જૈનોના મતે, તેમણે મનુષ્ય, દેવતા, જન્મ અને મૃત્યુ, આ લોક અને પરલોકનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમણે ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો તથા ‘જિન’ અને ‘મહાવીર’ નામથી ઓળખાવા લાગ્યા. તેઓ બંધનમાંથી મુક્ત થયા તેથી નિર્ગ્રંથ ગણાવા લાગ્યા. તે સમયે મહાવીર સ્વામી લગભગ 42 વર્ષના હતા.



જૈન ધર્મનો ફેલાવો

  • જ્ઞાન પ્રાપ્તિ પછી, મહાવીર સ્વામીએ તેમના જ્ઞાન અને અનુભવને ફેલાવવામાં આગામી 30 વર્ષ ગાળ્યા. તેમના ધાર્મિક પ્રચારના માર્ગમાં અનેક મુશ્કેલીઓ આવી. તેમ છતાં, તેઓ તેમના આ પ્રયાસમાં અડગ રહ્યા. દુષ્ટ, અભણ, અસભ્ય અને રૂઢિચુસ્ત લોકો તેમનો વિરોધ કરતા. પરંતુ તે પોતાના ઉચ્ચ પાત્ર અને મધુર અવાજથી તેઓનું દિલ જીતી લેતા હતા. તેમણે પોતાના વિરોધીઓ સાથે પણ ક્યારેય કોઈ દ્વેષ ભાવ રાખ્યો નહી. સામાન્ય લોકો તેમનાથી ખૂબ પ્રભાવિત હતા.
  • જૈન ધર્મના પ્રચાર માટે તેઓ રાજગૃહ પહોંચ્યા જ્યાં લોકોએ તેમનું ખૂબ સન્માન કર્યુ. ત્યાંથી તેઓ નાલંદા ગયા જ્યાં તે મખ્ખલિપુટ્ટ ગોસાલા નામના સાધુને મળ્યા. તેઓ મહાવીર સ્વામીથી પ્રભાવીત થઇ તેમના શિષ્ય બન્યા પરંતુ છ વર્ષ પછી તેમને છોડીને ‘આજીવક’ નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી.
  • તેમણે કાશી, કૌશલ, મગધ, અંગ, મિથિલા, વજ્જી વગેરે પ્રદેશોમાં પગપાળા તેમના ઉપદેશોનો પ્રચાર કર્યો. જૈન સાહિત્ય અનુસાર, બિંબિસાર અને તેમના પુત્ર અજાતશત્રુ મહાવીર સ્વામીના અનુયાયી બન્યા હતા. તેમની પુત્રી ચંદના મહાવીર સ્વામીની પ્રથમ સાધ્વી હતી. આ ઉપરાંત મહાવીર સ્વામીની સત્યવાણી અને સરળ જીવનશૈલીથી પ્રભાવિત થઈને સેંકડો લોકો તેમના અનુયાયીઓ બનવા લાગ્યા. રાજા-સમ્રાટ, વ્યવસાયી-વેપારીઓ અને સામાન્ય લોકો તેમના સિદ્ધાંતોને અનુસરવા લાગ્યા અને ધીમે ધીમે તેમના અનુયાયીઓની સંખ્યામાં ઘણો વધારો થયો.

જૈન ધર્મના સિદ્ધાંતો

  • મહાવીર સ્વામીના ઉપદેશોમાં કોઈ છુપી ફિલસૂફી નહોતી. તેમનો ઉદ્દેશ્ય માત્ર સમાજને સુધારવાનો હતો. તેમના પહેલા, 23મા તીર્થંકર પાર્શ્વનાથે પણ લોકોને શુદ્ધ-નિર્મળ જીવન જીવવાનો ઉપદેશ આપ્યો હતો. નિર્મળ જીવન જીવવાની સાથે શરીરને દુઃખ આપવા પર પણ ભાર મૂક્યો હતો. તેમના દ્વારા આપવામાં આવેલા બે સિદ્ધાંતો પ્રિસ્ક્રિપ્ટિવ થિયરી અને પ્રોહિબિટરી થિયરી છે.

પ્રિસ્ક્રિપ્ટિવ થિયરી (કાયદાકીય સિદ્ધાંત)

👉ત્રિરત્ન-

  1. જૈનધર્મમાં આત્માને મોક્ષપ્રાપ્તિ કઈ રીતે પ્રાપ્ત થાય તે વિચાર કેન્દ્રસ્થાને છે. જૈનદર્શનમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ કે જે સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યરિત્ર જેવાં ત્રણ રત્નોને નામે પ્રસિદ્ધ છે. તેના આચરણથી પૂર્વનાં બધાં કર્મોમાંથી મુક્તિ મળે છે તથા પાપનું ફળ પુર્નજન્મ વખતે મળે છે. જૈનધર્મે મોક્ષ મેળવવાના માર્ગ તરીકે આ ત્રણ રત્નો (સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્યચરણ)નો માર્ગ સૂચવ્યો છે, જે ત્રિરત્નસિદ્ધાંત તરીકે ઓળખાય છે.


👉અહિંસામાં શ્રદ્ધા-

  • અહિંસા એ જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત છે. તેનો અર્થ છે પ્રાણીઓની હત્યાનો વિરોધ કરવો. મહાવરી સ્વામી ઉપદેશમાં બુધ કરતા પણ આગળ નિકળી ગયા હતા. મહાત્મા બુદ્ધે માત્ર મનુષ્યો અને પ્રાણીઓની હત્યા કરવાની મનાઈ ફરમાવી હતી, પરંતુ મહાવીર સ્વામીએ તો વૃક્ષો, છોડ અને જડ પદાર્થોને દુઃખ પહોંચાડવાની વાત પણ સમજાવી હતી.

👉કઠોર તપસ્યા 

  • તપસ્યા એ જૈન ધર્મનો મહત્વપૂર્ણ સિદ્ધાંત છે .જૈન ધર્મની માન્યતા અનુસાર માણસ જેટલુ કઠોર તપ કરશે, તેનું જીવન તપતી વખતે સોના જેવું શુદ્ધ હશે. તેમના વિચારો પ્રમાણે માનવજીવનની બે બાજુઓ છે, એક ભૌતિક અને બીજી આધ્યાત્મિક. એક નાશવંત અને બીજું અમર. તેમણે શરીરને કષ્ઠ આપવા પર ભાર મૂક્યો અને તેમણે તેમના શિષ્યોને કઠોર તપ કરવાની અને શરીરને કષ્ઠ આપવાનો પ્રયાસ કરવાની સલાહ પણ આપી હતી.

👉કર્મ સિદ્ધાંત-

  • મહાત્મા બુદ્ધની જેમ મહાવીર સ્વામી પણ કર્મના સિદ્ધાંતમાં માનતા હતા. આ સિદ્ધાંત મુજબ માણસના જીવનમાં કરેલા સારા-ખરાબ કર્મોના આધારે મૃત્યુ પછી તેનું નવું જીવન નક્કી થાય છે.

👉મહિલા સ્વતંત્રતા પર ભાર –

  • મહાવીર સ્વામીએ મહિલાઓની સમાનતા અને સ્વતંત્રતા પર ભાર મૂક્યો હતો. તેમણે તેના સંઘ દ્વારા મહિલાઓ માટે હંંમેશા ખુલ્લા રાખ્યા. તેમણે કહ્યુ કે સ્ત્રીઓ પણ પુરૂષોની જેમ સર્જનની હકદાર છે.👉

👉18 પાપ-

  • જૈન ધર્મમાં 18 પ્રકારના મોટા પાપો વર્ણવવામાં આવ્યા છે, જે માણસને પતન તરફ લઈ જાય છે. તેમાંના મુખ્ય છે હિંસા, ચોરી, ક્રોધ, આસક્તિ, લોભ, મતભેદ, અપશબ્દો, નિંદા વગેરે. જૈન ધર્મ અનુસાર માણસે આ પાપો છોડીને સૃષ્ટિના માર્ગ તરફ આગળ વધવું જોઈએ.

👉પુનર્જન્મનો સિદ્ધાંત-

  • માણસે પોતાના કર્મો ને લીધે વારંવાર જન્મ લેવો પડે છે. કર્મ અને પુનર્જન્મનો સિદ્ધાંત એકસાથે ચાલે છે. જૈન ધર્મ અનુસાર કર્મના ફળથી બચવાનો કોઈ રસ્તો નથી. માણસને તેના કર્મોનું ફળ અવશ્ય મળે છે. જન્મ-મરણના ચક્રથી બચવા શુદ્ધ કર્મો કરવા જોઈએ.

👉નૈતિકતા પર ભાર –

  • પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીએ લોકોને ઉચ્ચ નૈતિક જીવન જીવવાનું શીખવ્યું. તેમણે તેમના શિષ્યોને કહ્યું કે તમામ મનુષ્યોને પ્રેમ કરવો જોઈએ, અહિંસાનું પાલન કરવું જોઈએ, હંમેશા સત્ય બોલવું જોઈએ અને સંયમિત જીવન જીવવું જોઈએ.

👉મોક્ષઃ-

  • જૈન ધર્મ અનુસાર કર્મના ફળનું નામ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે.

પાંચ મહાવ્રત

  •  આ પાંચ મહાવ્રતોને જૈન દર્શનનો અમૂલ્ય ખજાનો ગણવામાં આવે છે. શ્રમણો અને સન્યાસ યોગ માટે આને અનુસરવું આવશ્યક માનવામાં આવે છે. જૈન તત્વજ્ઞાનના પાંચ મહાવ્રતો નીચે મુજબ છે. જેમ કે અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય.

મહાવીર સ્વામીનું મૃત્યુ

  • મહાત્મા મહાવીર સ્વામી 30 વર્ષ સુધી તેમના ઉપદેશોનો પ્રચાર કર્યા પછી મગધની રજધાની રાજગૃહી નજીક પાવાપુરી નામના સ્થળે ઇ.સ.. પૂૂૂર્વ 527 માં નિવાર્ણ પામ્યા હતા. આ સમયે તેમની ઉંમર 72 વર્ષની હતી. તેમના મૃત્યુ પછી પણ જૈન ધર્મ સતત વિકસતો રહ્યો અને આજે પણ છે. જૈન સમાજ અનુસાર, મહાવીર સ્વામીના જન્મદિવસને મહાવીર જયંતિ અને તેમના મોક્ષ દિવસને દીપાવલી તરીકે ઉજવવામાં આવે છે.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !