ગણપતિ મંત્ર, સ્તુતિ અને આરતી – ગણેશ ઉત્સવ || GANPATI UTSAV# મંગલ મૂર્તિ ની આરાધના નું વિરલ પર્વ એટલે ગણેશ ચતુર્થી

ગણપતિ મંત્ર, સ્તુતિ અને આરતી – ગણેશ ઉત્સવ || GANPATI UTSAV# મંગલ મૂર્તિ ની આરાધના નું વિરલ પર્વ એટલે ગણેશ ચતુર્થી

Gujrat
0


મંગલ મૂર્તિ ની આરાધના નું વિરલ પર્વ એટલે ગણેશ ચતુર્થી Ganesh Chaturthi is a rare festival of Mangal idol worship

    શુભ પ્રસંગોનો શુભારંભ જેનાથી થાય છે તેવા વિઘ્નહર્તા મંગલમૂર્તિના અવતરણનો દિવસ એટલે ગણેશ ચતુર્થી. ભાદરવા માસની ચતુર્થીના દિવસથી અનંત ચૌદસ સુધી એટલે કે દસ દિવસ સુધી ગણેશોત્સવ મનાવવામાં આવે છે. ગણેશ ઉત્સવ સાથે રાષ્ટ્ર એકતાનો ઉદ્દેશ્ય પણ જોડાયેલો હોવાથી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય પર્વ જેટલું જ માહાત્મ્ય ગણેશ ચતુર્થીનું છે તેથી રાષ્ટ્રનાયક તરીકે પણ તેમની આરાધના કરવામાં આવે છે. ગજાનનના આવિર્ભાવ સંદર્ભે અનેક કથાઓ પણ પ્રચલિત છે. ગણેશનું અનોખું પ્રતીકાત્મક સ્વરૂપ જ દિવ્ય સંદેશ આપનારું છે. ગણેશના આવિર્ભાવની ઘડીને ખૂબ જ હર્ષોલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવે છે, પરંતુ તેમના અવતાર અંગે આપણા ગ્રંથોમાં વિભિન્ન કથાઓ પ્રચલિત છે.



    ગજાનન પરિચય 


    શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું મુખ હાથીનું છે.

    ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. તેઓ દુઃખો નો નાશ કરનારા હોવાથી હિન્દુ ધર્મમાં દરેક કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવે છે.

    • પિતા- ભગવાન શિવ
    • માતા- ભગવતી પાર્વતી
    • ભાઈ- શ્રી કાર્તિકેય
    • પત્ની- બે ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.)
    • પુત્ર- બે ૧. શુભ ૨. લાભ
    • પ્રિય ભોગ (મિષ્ઠાન્ન)- મોદક, લાડુ
    • પ્રિય પુષ્પ- લાલ રંગનાં
    • પ્રિય વસ્તુ- દુર્વા (દૂબ) શમી-પત્ર
    • અધિપતિ- જલ તત્વનાં
    • પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ

    ગણેશજી ના અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે

    1.  સુમુખ, 
    2. એકદંત,
    3.  કપિલ, 
    4. ગજકર્ણક, 
    5. લંબોદર,
    6.  વિકટ,
    7.  વિઘ્નહર્તા, 
    8. વિનાયક,
    9.  ધૂમ્રકેતુ,
    10.  ગણાધ્યક્ષ,
    11.  ભાલચંદ્ર, 
    12. ગજાનન.

    ગણપતિ આરતી




    ગણેશજી ના પાંચ મહામંત્ર અર્થ સાથે 


    1- वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
    निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥;

    અર્થ-ઘુમાવદાર સૂંઢ વાળા, વિશાળ શરીરવાળા, કરોડો સૂર્યની સમાન મહાન પ્રતિભાશાળી. મારા પ્રભુ, મારા બધા કાર્યો વિઘ્ન વગર પૂર્ણ કરો(કરવાની કૃપા કરો)


    2- विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धितायं।
    नागाननाथ श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते॥
     

    અર્થ-વિઘ્નેશ્વર, વર આપનાર, દેવતાઓના પ્રિય, લંબોદર, કળાઓથી પરિપૂર્ણ, જગતનું હિત કરનાર, ગજની સમાન મુખવાળા અને વેદ તથા યજ્ઞથી વિભૂષિત પાર્વતીપુત્રને નમસ્કાર. હે ગણનાથ, તમને નમસ્કાર છે.


    3- अमेयाय च हेरम्ब परशुधारकाय ते ।
    मूषक वाहनायैव विश्वेशाय नमो नमः ॥
     

    અર્થ-હે હેરમ્બ, તમને કોઈ પ્રમાણો દ્વારા માપી નહીં શકાતા, તમે પરશુ ધારણ કરનાર છો, તમારું વાહન મુષક છે, તમે વિઘ્નેશ્વરને વારંવાર નમસ્કાર છે.


    4- एकदन्ताय शुद्घाय सुमुखाय नमो नमः ।
    प्रपन्न जनपालाय प्रणतार्ति विनाशिने ॥

    અર્થ-જેનમનો એક દાંત અને સુંદર મુખ છે, જે શરણાગત ભક્તજનોના રક્ષક તથા પ્રણતજનોની પીડાના નાશ કરનાર છે, એવા શુદ્ધસ્વરૂપ તમે ગણપતિને વારંવાર નમસ્કાર છે.

     
    5- एकदंताय विद्‍महे।

    वक्रतुण्डाय धीमहि।

    तन्नो दंती प्रचोदयात।।

    અર્થ-એક દંતને અમે જાણીએ છીએ. વક્રતુન્ડનું અમે ધ્યાન કરીએ છીએ.તેવા દંતી(ગજાનંદ) અમને પ્રેરણા પ્રદાન કરો.

     

    કેવી રીતે કરવી પૂજા 


    👉ચતુર્થીના દિવસે સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરીને સૂર્યને જળ અર્પણ કરો. તમારા પૂજા સ્થળને સાફ કરો

    👉  દૈનિક પૂજા કર્યા પછી સંકટ ચતુર્થી વ્રતનુ વ્રત લો

    👉જમણા હાથમાં થોડુ પાણી, સિક્કો, પૂજા સોપારી, અક્ષત અને ફૂલ લઈને વ્રતનો સંકલ્પ લેવો. તમે જે કાર્ય માટે ઉપવાસ કરી રહ્યા છો તેનુ માનસિક રીતે ધ્યાન કરો. આ પછી ષોડશોપચારમાં ગણેશજીની પૂજા કરો

    👉. ગણેશજીને દુર્વા, સિંદૂર, ફૂલ વગેરે અર્પણ કરો

    👉 આ પછી સાંજે સૂર્યાસ્ત સમયે ફરીથી ગણેશજીની પૂજા કરો, દીવો કરો. ચતુર્થીની કથા સાંભળો કે વાંચો

    👉ચંદ્રોદય સમયે ચંદ્રની પૂજા કરો. ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરો. આ પછી ગણેશજીને ભોજન અર્પણ કરો અને ભોજન ગ્રહણ કરો .



    Trilak વિષે વાંચવા લાયક 

    Conclusion :

    અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં શ્રી ગણેશ જી ગણપતિ મંત્ર, સ્તુતિ અને આરતી – ગણેશ ઉત્સવ MAHITI મુકેલ છે. આ  વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે..


     


    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !